➤ રમઝાન એ મહિનો છે, જેમાં કુરઆન મજીદ નાઝીલ (ઉતારવામાં આવ્યું) થયો. ➤ સુરા બકરા (2:185) માં અલ્લાહ ફરમાવે છે: “રમઝાન એ મહિનો છે, જેમાં કુરઆન ઉતારવામાં આવ્યું, જે લોકો નાં માટે માર્ગદર્શન છે અને (હક-બાતિલ) ની તફાવત કરાવનાર સ્પષ્ટ પુરાવો છે.” ➤ કુરઆન શબ-એ-કદ્ર (લૈલતુલ કદ્ર) ની રાતે સમ્પૂર્ણ લૌહે મહફૂઝ (અલ્લાહ પાસે) થી આસમાને દુનિયામાં ઉતારવામાં આવ્યું. (સુરા અલ-કદ્ર 97:1) ➤ પછી 23 વર્ષમાં ધીરે-ધીરે નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) પર જિબ્રઈલ (અલૈહિસ્સલામ) દ્વારા ઉતારવામાં આવ્યું.
👉 શબ-એ-કદ્ર (લૈલતુલ કદ્ર) ની રાત – 1000 મહિના કરતા શ્રેષ્ઠ
➤ શબ-એ-કદ્ર આ મહીનાની સૌથી મૂલ્યવાન રાત છે. ➤ કુરઆનમાં (સુરા અલ-કદ્ર 97:3) કહેવામાં આવ્યું છે: “લૈલતુલ-કદ્ર (શબ-એ-કદર) 1000 મહિના કરતા શ્રેષ્ઠ છે.” ➤ 1000 મહિના = 83 વર્ષ અને 4 મહિના એટલે કે એક આખી જીંદગી ની ઇબાદત કરતા પણ શ્રેષ્ઠ. ➤ આ રાત રમઝાનની છેલ્લી 10 રાતોમાં (તાક રાતો– 21, 23, 25, 27, 29) માં હોય છે.
👉 રમઝાનમાં જન્નતના દરવાજા ખૂલી જાય છે
➤ હઝરત અબુ હુરૈરા (રજી.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ કહ્યું: “જ્યારે રમઝાન આવે છે, ત્યારે જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે, દોઝખના દરવાજા બંધ કરી દેવામાં આવે છે, અને શયતાનોને બાંધી દેવામાં આવે છે.” (સહીહ બુખારી: 1899, સહીહ મુસ્લિમ: 1079)
➤ આ મહિના માં અલ્લાહની બંદગી અને તૌબા કબૂલ થવાની વધુ તકો હોય છે.
👉 ગુનાહોની માફી અને રોજા રાખનારા માટે ખાસ ઈનામ
➤ હઝરત અબુ હુરૈરા (રજી.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ કહ્યું: “જે વ્યક્તિ ઇમાન અને સવાબ ની આશા સાથે રોઝા રાખે, તેના આગલા બધા ગુના માફ કરી દેવામાં આવશે.” (સહીહ બુખારી: 38, સહીહ મુસ્લિમ: 760)
➤ રમઝાનના રોજા એ ખાલી ભૂખ અને તરસ માટે નથી, પણ આત્મિક શુદ્ધિ માટે છે.
👉 ફિતરા – ગરીબો માટે ખુશી લાવવાનો મહિનો ➤ રમઝાનના અંતે સદકાતુલ-ફિત્ર (ફિતરા) ફરજ છે. ➤ હર એક મુસ્લિમ પર જે સક્ષમ છે, તે ગરીબોને ફિતરા આપે. ➤ ફિતરા આપવામાં આવે તેથી ગરીબ લોકો પણ ઈદની ખુશીમાં સામેલ થઈ શકે.