
ખરેખર હકદાર લોકોને જ ઝકાત સદકાત આપવી જોઈએ
હમણા-હમણા ઘણા લોકો રસ્તા પર ભીખ માગતા જોવા મળે છે, અને ઘણીવાર લોકો એમને ઝકાત અથવા સદકાત ની મોટી રકમ આપીને સમજે છે કે એમણે પોતાનું ફર્ઝ પૂરું કરી દીધું. પણ હકીકતમાં, ઝકાત સદકાત એ એવી લોકો માટે છે, જે ખરેખર હકદાર છે – જે લોકો ભીખ માગવા માટે મજબૂર નથી, પણ જરૂરિયાતમંદ છે.
હદીસ અને કુરઆન મુજબ ઝકાત સદકાત કોને આપવી?
હદીસમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઝકાત અને સદકાત એમને આપવી જોઈએ, જે લોકો પોતાની જરૂરિયાતોને છુપાવીને જીવે છે, ભીખ માગતા નથી, પણ તેમ છતાં સંઘર્ષ કરી રહ્યા છે.
▶ અલ્લાહ તઆલાએ કુરઆન માં ફરમાવ્યું:
“સદકા (ઝકાત) ફક્ત ગરીબો માટે, મુફલિસો માટે, ઝકાત એકત્રિત કરનાર માટે, જેમના દિલ જીતી લેવાનાં હોય એવા માટે, ગુલામોને મુક્ત કરવા માટે, દેવામાં ફસાયેલા માટે, અલ્લાહના રસ્તામાં અને મુસાફરો માટે છે. (સૂરાહ તૌબા 9:60)” (વિસ્તૃત માહિતી માટે અહીં ક્લિક કરો)
▶ હદીસમાં આવે છે:
“સચ્ચા મિસ્કીન (જરૂરિયાતમંદ) એ નથી કે જે લોકો એક-એક લુકમાના ખોરાક માટે ભટકતા રહે, પણ સાચા મિસ્કીન (જરૂરિયાતમંદ) એ છે કે જે લાચાર હોવા છતાં ભીખ માગતા નથી.” (બુખારી અને મુસ્લિમ)
ખરેખર હકદાર કોણ છે?
✦ જે લોકો મહેનત મજૂરી કરે છે પણ તેમ છતાં પોતાની આવશ્યક જરૂરિયાતો પૂરી કરી શકતા નથી.
✦ કેવા કેવા લોકો દિન-પ્રતિદિન જીવનયાપન માટે સંઘર્ષ કરે છે, પણ પોતાનો ગૌરવ (self-respect) બચાવવા ભીખ માંગતા નથી.
✦ વિધવા મહિલાઓ, અનાથ બાળકો, વૃદ્ધ લોકો કે જે કોઈ સહારે વિના જીવન જીવી રહ્યા છે.
✦ વિદ્યાર્થીઓ કે જેઓ ધંધો કે નોકરી કરવા માટે પ્રયત્નશીલ છે, પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
✦ એવા લોકો કે જેઓ કુદરતી આફત, અકસ્માત કે બીમારીના કારણે આર્થિક તંગી અનુભવી રહ્યા છે.
કેમ ભીખ માંગતા ભીખારીઓને ઝકાત આપવી નહીં?
1. ઘણા ભીખારીઓ વ્યવસાય તરીકે ભીખ માગે છે:
આજકાલ ઘણા લોકો ભીખ માંગીને આવક કમાવતા હોય છે અને એમનું ગૃહસ્થ જીવન આરામદાયક હોય છે.
2. નકલી લાચારપણું:
ઘણા લોકો દેખાવ માટે ખોટી લાચારી બતાવે છે અને લોકોની સહાનુભૂતિ મેળવી ભીખ માગે છે. વર્ષો થી એમના હાથ માં પાડા પિંડી એમના એમ જ હોય છે. વર્ષો થી એક જ મેડિકલ રિપોર્ટ હાથ માં પકડી ને ભીખ માંગતા હોય છે.
3. સાચા જરૂરિયાતમંદને મદદ ન મળે:
જો ઝકાત સદકાત હકદાર સુધી ન પહોંચે, તો જે ખરેખર તકલીફમાં છે, એમને તેનાનો ફાયદો નહીં મળે. ભીખ માંગતા ભિખારીઓ કોઈ દિવસ ભીખ માંગવાનું બંધ નહીં કરે. એમનું વ્યવસાય જ ભીખ માંગવું છે. જ્યારે જરૂરતમંદ ને તેની જરૂરિયાત પ્રમાણે મળી રહે તો એ બીજે હાથ નહીં ફેલાવે.
અમે શું કરી શકીએ?
✅ જે લોકોને જોતાં જ સમજાય કે એ સંઘર્ષ કરી રહ્યા છે, પણ ભીખ માગતા નથી, એમને શોધી શોધી ઝકાત સદકાત આપવી.
✅ જો શક્ય હોય, તો કોઈ ભાઈ-બંધુ કે મિત્રના પરિચયથી જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચાડવી.
✅ વિશ્વસનીય સંસ્થાઓ કે ચેરિટીઓ દ્વારા ઝકાત સદકાત ખરેખર હકદાર લોકોને પહોંચે એ રીતે વ્યવસ્થા કરવી.
✅ પૈગામે સૈયદ ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષો થી આ જ કામ કરી રહ્યું છે. તમારી ઝકાત સદકાત લીલ્લાહ ફીદિયા ખેરાત બધી રકમ સીધી એના હકદાર સુધી પહોંચી જાય છે.
આ પવિત્ર કામ સાચી રીતે કરવું જરૂરી છે!
ઝકાત સદકાત ફક્ત એક ફરીજો નહીં, પણ એક મોટી જવાબદારી છે. જો અમે તેને સાચા હકદાર સુધી પહોંચાડીએ, તો એ લોકોની જિંદગી સુધરી શકે છે. અલ્લાહ તઆલા અમને ઝકાત અને સદકાત સાચા હકદાર લોકોને પહોંચાડવાની તૌફિક અતા કરે, આમીન!
